ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે વલસાડમાં એકનું મૃત્યુ નિપજ્યું છે. રાજ્યભરમાં આજે કુલ 312 લોકોનું રસીકરણ કરાયું છે.
Advertisement
Advertisement
આજે અમદાવાદમાં કોર્પોરેશનમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 30, સુરત કોર્પોરેશનમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત 8 કોરોના કેસ નોંધાયા છે. તો અમરેલી, જામનગર, મહેસાણા, સાબરકાંઠામાં 6-6, ભાવનગર, કચ્છમાં 5-5, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. તો ગાંધીનગર કોર્પોરેશન, પોરબંદરમાં 3-3, જ્યારે અમદાવાદ, આણંદ, નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. ભરૂચ, ભાવનગર, ખેડામાં 1-1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 21 દિવસમાં જ કોરોનાના કારણે 7 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. 5 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1692 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.00 ટકા થઈ ગયો છે.
Advertisement