હૈદરાબાદ: તેલંગાણા પોલીસે લશ્કર-એ-તૈયબાના 3 આતંકીની ધરપકડ કરી છે. આ ત્રણેય મૂળ રીતે હૈદરાબાદના છે. પોલીસ અનુસાર આ આતંકી શહેરમાં દશેરાના આયોજન અને ધાર્મિક જુલૂસમાં વિસ્ફોટની યોજના બનાવી રહ્યા હતા. તેમનું પ્લાનિંગ સંઘ અને ભાજપની બેઠકમાં હાથ ગોળા ફેકવાનો પણ હતો. આ ISISથી પ્રેરિત લોન વુલ્ફ એટેક દ્વારા આ ઘટનાને અંજામ આપવાના હતા. એસટીએફે મૂસારામબાગના મોહમ્મદ અબ્દુલ જાહેદ ઉર્ફ મોટૂ, મલકપેટના મોહમ્મદ સમીઉદ્દીન અને હુમાયૂં નગરના માજ હસન ફારૂકની જૂના હૈદરાબાદમાંથી ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આરોપીઓ પાસેથી 4 હેન્ડ ગ્રેનેડ, 4 લાખ રૂપિયા કેસ અને આપત્તિજનક દસ્તાવેજ મળ્યા છે. ત્રણેય પર સંઘ અને ભાજપના પદાધિકારીઓની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, લશ્કર-એ-તૈયબાના આ સ્લીપર સેલનો પર્દાફાશ કરનારા સ્ટેટ કાઉન્ટર- ઇન્ટેલિજન્સ સેલ અને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)એ આરોપીઓના સ્ટેટમેન્ટમાં તેનો ઉલ્લેખ નથી કર્યો. પૂછપરછમાં તેમણે કબૂલ કર્યુ કે તેમની યોજના આતંક ફેલાવવાા અને સાંપ્રદાયિક વૈમનસ્ય ઉભુ કરવાની હતી.
ત્રણેય પર UAPA Act હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદમાં 4 અન્ય શંકાસ્પદના નામ છે: આદિલ અફરોજ, અબ્દુલ હાદી, સોહેલ કુરૈશી અને અબ્દુલ કલીમ ઉર્ફ હાદી. આ તમામ ફરાર છે. મુખ્ય ષડયંત્રકાર જાહિદે પોલીસની પૂછપરછમાં જણાવ્યુ કે તે પાકિસ્તાની જાસુસી એજન્સી ISI, સરહદ પાર લશ્કર સંચાલકો અને હૈદરાબાદના 3 શંકાસ્પદ આતંકવાદી ફરહતુલ્લા ગોરી, સિદ્દીકી બિન ઉસ્માન અને અબ્દુલ મજીદના સંપર્કમાં હતો, જે ફરાર છે. કહેવામાં આવે છે કે આ ત્રણેય પાકિસ્તાનમાં છે અને ISI માટે કામ કરી રહ્યા છે.
SITએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
SITના એક અધિકારીએ કહ્યુ, જાહિદ અને તેનો ગ્રુપ તહેવારોમાં આતંક ફેલાવવા માટે ભાજપ, આરએસએસની બેઠકમાં હાથગોળા ફેકવા અને દશેરાના આયોજનમાં બોમ્બ વિસ્ફોટની યોજના બનાવી રહ્યો હતો. અધિકારીએ એમ પણ કહ્યુ કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર, ગોરી, હંજાલા અને મજીદે હૈદરાબાદમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે જાહિદને આતંકી ભરતી કરવામાં મદદ કરી અને તેની માટે પૈસા આપ્યા હતા. બે અન્ય સમીઉદ્દીન અને માજ હસન જેમની ધરપકડ કરવામાં આવી હતી તેમણે જાહિદે જ ભરતી કર્યા હતા. જાહિદ પહેલા પણ હૈદરાબાદમાં થયેલી આતંકી ઘટનામાં સામેલ રહી ચુક્યો છે, જેને 2005માં બેગમપેટમાં પોલીસ ટાસ્ક ફોર્સની ઓફિસ પર આત્મઘાતી હુમલો પણ કર્યો હતો.
પોતાના આતંકી ભાઇના સંપર્કમાં છે જાહિદ
સત્ર અદાલતે આ મામલે જાહિદ અને 10 અન્યને છોડી મુક્યા હતા પરંતુ હાઇકોર્ટે SITની અરજી પર નોટિસ ફટકારી હતી. જાહિદ પોતાના ભાઇ અને લશ્કરના સંચાલક મોહમ્મદ અબ્દુલ મજીદના સંપર્કમાં પણ છે. મજીદ વિરૂદ્ધ બેંગલુરૂમાં એક નિષ્ફળ આતંકવાદી ઘટનાના ષડયંત્ર રચવા માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી, તે બાદથી તે કથિત રીતે સાઉદી અરબમાં છુપાયેલો છે. એક અન્ય આરોપી માજ હસન ફારૂકને 2018માં યુવાઓને કટ્ટરપંથી બનાવવા અને ISI સાથે સંપર્ક બનાવી રાખવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. ગોરી અને 2 અન્યએ 2002માં દિલસુખનગરમાં સાઇ બાબા મંદિર પાસે વિસ્ફોટ, મુંબઇમાં ઘાટકોપર વિસ્ફોટ, 2005માં બેગમપેટમાં ટાસ્ક ફોર્સ ઓફિસ પર આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે 2004માં સિકંદરાબાદ ગણેશ મંદિરને ઉડાવવાનું નિષ્ફળ ષડયંત્રનો ભાગ હતો.
Advertisement