કેરળ જિલ્લાના પ્રખ્યાત ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરે જણાવ્યું છે કે તેના બેંક ખાતામાં 1700 કરોડ રૂપિયાથી વધારેની ધનરાશિ અને 260 કિલો સોનું છે.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મંદિર પ્રશાસને આરટીઆઈના જવાબમાં આ માહિતી આપી છે.
મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે તેમના પાસે 263.637 કિલો સોનું છે, જેમાં કિંમતી પથ્થરો, સિક્કા અને લગભગ 20 હજાર સોનાના લોકેટનો સમાવેશ થાય છે.
મંદિર મેનેજમેન્ટે અગાઉ સુરક્ષા કારણોસર મંદિરની સંપત્તિની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
ધ હિંદુ વેબસાઈટ અનુસાર, અપીલ બાદ આરટીઆઈનો જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરમાં 6 હજાર 605 કિલો ચાંદી, 19 હજાર 981 સોનાના લોકેટ અને 5 હજાર 359 ચાંદીના લોકેટ છે.
આ મંદિરના પ્રમુખ દેવતા ભગવાન ગુરુવાયુરપ્પન છે, જેમને બાલગોપાલન (ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ) તરીકે પૂજવામાં આવે છે.
આ મંદિરમાં ભગવાનને પોતાના વજન જેટલી વસ્તુઓ અર્પણ કરવાની પ્રથા છે. જૂન 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કમળના ફૂલોથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં આ ફૂલોથી વિશેષ પૂજા કરવામાં આવી હતી.
મંદિરની દિવાલો પર શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના ચિત્રો કોતરવામાં આવ્યા છે.
Advertisement