મુંબઇ: 14 વર્ષ પહેલા 26/11/2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇ પર હુમલો કર્યો હતો. ઇતિહાસના સૌથી મોટા આતંકી હુમલામાંથી એક મુંબઇ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. મુંબઇ પર હુમલો કરનારા 10માંથી 9 આતંકીઓને ઘટનાસ્થળે જ ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે જીવતા બચેલા અજમલ કસાબને 2012માં ફાંસી આપવામાં આવી હતી.
Advertisement
Advertisement
હાફિઝ સઇદ
હાફિઝ સઇદને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના વડા સઇદને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની કોર્ટે 31 વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે તેની સંપત્તિને જપ્ત કરવાના આદેશ આપતા લાખો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સઇદની 2019માં પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે અવાર નવાર આઝાદ ફરતો અને સભાઓને સંબોધિત કરતા જોવા મળતો હતો.
સાજિદ મીર
મુંબઇ હુમલામાં ભૂમિકાને લઇને અમેરિકાએ મીર પર 40 કરોડ રૂપિયા કરતા વધુનું ઇનામ રાખ્યુ હતુ. મીર મુંબઇ હુમલાનો ‘પ્રોજેક્ટ મેનેજર’ હતો અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને આદેશ આપી રહ્યો હતો. તે 2005માં રેકી માટે નકલી પાસપોર્ટ પર ભારત પણ આવ્યો હતો. વચ્ચે તેના મોતના સમાચાર આવ્યા હતા પરંતુ આ વર્ષે જૂનમાં પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી કોર્ટે સાજિદ મીરને 15 વર્ષની સજા સંભળાવી હતી.
જકીઉર રહમાન લખવી
મુંબઇ હુમલાના ગુનેગારોમાં ખુંખાર આતંકી અને લશ્કર-એ-તૈયબાના ઓપરેશનલ કમાન્ડર જકીઉર રહમાન લખવી પણ સામેલ છે. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ તેનું નામ આતંકવાદીની યાદીમાં સામેલ કરી દીધુ હતુ. આ સાથએ જ તેની સંપત્તિ અને બેન્ક ખાતાને સીઝ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે જૂનમાં તેને પાકિસ્તાનની એક કોર્ટે ટેરર ફાઇનાન્સિંગના ગુનામાં 15 વર્ષની જેલની સજા ફટકારી હતી.
ડેવિડ કૉલમેન હેડલી
મુંબઇ હુમલાની પાછળ અમેરિકન-પાકિસ્તાની નાગરિક ડેવિડ કૉલમેન હેડલીનું નામ પણ સામે આવ્યુ હતુ. તે હુમલા પહેલા કેટલીક વખત મુંબઇ આવ્યો હતો અને દરેક જાણકારી પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ પાસે પહોચાડી હતી, તેને મુંબઇમાં રેકી દરમિયાન 50 કલાકના વીડિયો રેકોર્ડ કર્યા હતા. હુમલા બાદ પાકિસ્તાન જતા સમયે તેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને 35 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
જ્યારે મુંબઇમાં થયો હતો હુમલો
26 નવેમ્બર 2008માં દેશની આર્થિક રાજધઆની મુંબઇ પર આતંકી હુમલો થયો હતો. દરિયાના રસ્તે પાકિસ્તાનથી આવેલા આતંકીઓે તાજ હોટલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત છ જગ્યાએ હુમલા કર્યા હતા. આ હુમલામાં વિદેશી નાગરિકો સહિત 166 લોકોના મોત થયા હતા અને કેટલાક અન્ય ઘાયલ થયા હતા. કેટલાક કલાક સુધી ચાલેલા આતંકવાદ વિરોધી સઘન ઓપરેશન બાદ સુરક્ષા દળોએ નવ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
Advertisement