લખનઉં: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉંમાં એક દિવાલ પડતા 9 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. જ્યારે ઉન્નાવમાં પણ 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.
Advertisement
Advertisement
ભારે વરસાદને કારણે લખનઉંના દિલકુશા વિસ્તારમાં આર્મી એનક્લેવની દિવાલ પડી હતી જ્યા બનેલી ઝોપડીમાં રહેનારા 9 મજૂરોના દબાઇ જતા મોત થયા છે. જ્યારે ઉન્નાવ જિલ્લામાં એક કાચુ મકાન તૂટતા બે બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે.
દૂર્ઘટનાને લઇને પોલીસે શું કહ્યું?
લખનઉંમાં દૂર્ઘટનાની જાણકારી આપતા સીનિયર પોલીસ અધિકારી પીયૂષ મોરડિયાએ જણઆવ્યુ કે ભારે વરસાદને કારણે આર્મી એનક્લેવની દિવાલ પડતા મજૂરોના મોત થયા છે. સવારે 3 વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. કાટમાળમાંથી 9 શબને કાઢવામાં આવ્યા છે અને એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે લખનઉંમાં છેલ્લા 14 કલાકમાં 155 મિમી વરસાદ પડી ચુક્યો છે.
મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉંમાં બનેલી દૂર્ઘટના પર દુખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો પ્રત્યે દુખ વ્યક્ત કર્યુ હતુ અને મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી તેમજ ઘાયલોને તુરંત સારવાર કરાવવાના આદેશ આપ્યા હતા.
લખનઉંમાં સ્કૂલ બંધ રહેશે
ભારે વરસાદને પગલે તંત્રએ લખનઉંમાં સ્કૂલને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે સવારે 4 વાગ્યે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ
ઝાંસી, કાનપુર, બહરાઇચ અને લખનઉં સહિત ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે કે આગામી બે દિવસમાં પ્રયાગરાજ, મૈનપુરી, બદાયૂં, બરેલી, હરદોઇ વગેરે જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
Advertisement