માત્ર છ દિવસ પહેલા જ એક બાજુ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો, ત્યારે દશેરાની પૂર્વ સંધ્યાએ રેલવે બોર્ડે પણ તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બોર્ડે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા થશે.
આ જાહેરાત સાથે રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી થઈ જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગારના 42 ટકા જ ડીએ મળતું હતું. આ વધારો 1 જુલાઈ, 2023થી જ લાગુ થશે અને કર્મચારીઓને એરિયર્સ તરીકે વધારાનું DA મળશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકા વધારાની જાહેરાત કર્યાના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે પણ પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે.
રેલવે કર્મચારીઓએ આ નિર્ણયને આવકાર્યો
રેલવે કર્મચારી યુનિયનોએ દશેરાની પૂર્વસંધ્યાએ અને દિવાળી પહેલા કરાયેલી જાહેરાતને આવકાર આપ્યો છે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ડીએ કર્મચારીઓનો અધિકાર છે, તે જુલાઈથી મળવાનો હતો. જો કે, દિવાળી પહેલા તેની ચૂકવણીની જાહેરાત કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ.
ભારતીય રેલ્વે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજરો અને મુખ્ય વહીવટી અધિકારીઓને પાઠવવામાં આવેલા એક પત્રમાં જણાવાયું છે કે રેલ્વે બોર્ડના અધ્યક્ષને આ નિર્ણય લેતા ખુશી થઈ રહી છે કે રેલ્વે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 46 ટકા કરવામાં આવ્યું છે.
Advertisement