રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જેની સામે 263 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં કોરોનાના કુલ 2332 એક્ટિવ કેસ છે.
જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2322 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,488 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement
Advertisement
હાલમાં વાઈરલ ઈન્ફેક્શનને કારણે પણ સમાન પ્રકારના લક્ષણો હોવાને લીધે લોકોમાં મૂંઝવણ રહે છે. સરકારે ફરી મોબાઈલ ફોન પર કોરોના જાગૃતિના મેસેજ મૂકવાના શરુ કરી દીધા છે.
Advertisement