રાહુલ ગાંધીના સાંસદ તરીકેના ગેરલાયક ઠેરવવાની બાબતમાં ચૂંટણી પંચ હવે ક્યારે પેટા ચૂંટણીનું આયોજન કરશે તે અંગેની અટકળો ચાલી રહી છે. સામાન્ય રીતે ગેરલાયક ઠેરવવાની તારીખથી લઈને છ મહિનામાં જે તે લોકસભાની ચૂંટણી થઈ શકે છે.
Advertisement
Advertisement
લોકકાયદાના 1951ની સેક્શન 151એ મુજબ કોઈપણ ખાલી પડેલી લોકસભા બેઠકને છ મહિનાની અંદર ચૂંટણી દ્વારા ભરી દેવી જોઈએ. જો કે એ પછી ચૂંટણીને જો એક વર્ષ કે તેથી વધુ સમય બાકી હોય તો આ નિયમ લાગુ પડે છે.
વાયનાડની જગ્યા 23મી 2023 માર્ચે ખાલી પડી છે. જે જોતાં 22મી સપ્ટેમ્બર 2023 સુધીમાં ચૂંટણીનું આયોજન થઈ શકે. તો બીજી તરફ એવું પણ બની શકે કે કોર્ટના નિર્ણયને કારણે સ્ટે પણ આવી શકે.
લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના કેસમાં 11મી જાન્યુઆરી 2023ના રોજ સેક્શન-8-અ આર.પી.એક્ટ અંતર્ગત હત્યાના પ્રયાસના ગુનામાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને બે જ દિવસમાં ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણી નોર્થ ઈસ્ટના રાજ્યો સાથે ચૂંટણી પંચે યોજી હતી.
રસપ્રદ વાત એ છે કે જ્યારે વખતે કેરાલા હાઈકોર્ટ ફૈઝલની બેઠક પર પુનઃનિયુક્તિ માટે મુક્તિ આપી હોવા છતાં પણ તે લોકસભાના પ્રોસિડિંગમાં ભાગ લઈ શક્યા ન હતા.
Advertisement